Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ડાંગ જિલ્લાના ખ્રિસ્તીમાં ધર્માંતર થયેલા 144 આદિવાસી પરિવારોએ ફરી હિન્દુધર્મ અંગીકાર કર્યો

વૈદિક દીક્ષા શુદ્ધિ કરણનો કાર્યક્રમમાં 144 પરિવારોએ ભાગ લીધો

ડાંગ જિલ્લાના આદિવાસીઓ ખ્રિસ્તીમાં ધર્માંતર  થયેલા 144 આદિવાસી પરિવારોએ ફરી હિન્દુ ધર્મ 'અંગીકાર' કર્યો હતો. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરી ચૂકયા છે

ડાંગ જિલ્લામાં આદિવાસી વિસ્તારના આદિવાસીઓને પ્રલોભન લાલચ આપીને વધુ લોકોને ખ્રિસ્તી બનાવાયા હતા. વૈદિક દીક્ષા શુદ્ધિ કરણનો કાર્યક્રમ ડાંગના ભોગડીયા ગામના અગ્નિવીર દ્વારા યોજવામાં આવી હતી. જેમાં 144 ડાંગના આદિવાસી પરિવારોએ ભાગ લીધો હતો.

ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારને ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ખ્રિસ્તીમાં ધર્માંતર થયેલા 144 આદિવાસીઓનું હિન્દુ અગ્નિવીર દ્વારા ધર્માંતર કરવામાં આવ્યું હતું. ત્યારે અગ્નિવીર દ્વારા વૈદિક દિક્ષા શુદ્ધિ કરણના કાર્યક્રમના સંમેલનમાં ધર્મ પરિવર્તન કરેલા ડાંગના હિન્દુ આદિવાસીઓને સમજાવીને ઘરવાપસી કરાવી હતી.

(11:20 pm IST)