Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

પ૦ લાખની સામે ૮૦ ટકા જેટલું વ્યાજ ચુકવવા છતાં હેરાનગતિ : આકાશ પટેલનો આપઘાત

સુરત : સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવકે આપઘાત કરી લેતા અરેરાટી વ્યપી ગઇ છે.સુરતના વરાછા સ્થિત એ.કે.રોડની રામબાગ સોસાયટીમાં રહેતા યુવકે રૂપિયા પચાસ લાખની સામે ૮૦ ટકા જેટલું વ્યાજ ચૂકવ્યું છતાં તેને વ્યાજ માટે હેરાન કરવામાં આવતો હતો. મોબાઈલની દુકાન ધરાવતા આકાશ પટેલ નામના યુવકે આખરે વ્યાજખોરોથી કંટાળી આપદ્યાત કર્યો છે.

આપદ્યાત કરતા પહેલા આકાશે તેના મિત્રને વોટ્સઅપ પર મેસેજ કર્યો હતો. જેમાં તેણે પોતાની આપવીતિ વર્ણવી હતી. આ મેસેજ વાંચતા જ મિત્રએ વળતો ફોન કર્યો હતો. પરંતુ તેણે કોલ રીસિવ નહોતો કર્યો.

આકાશે તેના મિત્રને વોટ્સ પર વ્યાજખોરોના નામ સહિતની તમામ ડિટેઇલ્સનો પણ ઉલ્લેખ છે. આકાશે તેના મેસેજમાં જય, હેમાંગ, જયા, કિશન સહિતના વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો હતો.

(4:32 pm IST)