Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

આખરે રાજપીપળા એસટી ડેપોમાંથી ગોરા બ્રીજ ઉપરથી જતી એસ.ટી.બસો શરૂ કરાતા મુસાફરોમાં આનંદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપોમાંથી કેવડીયા તરફ જતી બસો ગોરા બ્રિજ નવો બન્યા બાદ કેવડીયા તરફના રૂટની બસો બંધ કરાઈ હતી જેના કારણે અનેક ગામોના મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડતો હતો જ્યારે એસટી બસો બંધ થતાં ખાનગી વાહનોના ભાડા પણ વધારી દેતા લોકોને આર્થિક નુકસાન પણ વેઠવું પડતું હતું ત્યારે મુસાફરોની આ મુશ્કેલી બાબતે અમે એક સ્ટોરી મુક્તા જ તંત્ર એ આ બાબતે તુરત પગલાં લીધા અને આજથી ગોરા બ્રીજ ઉપરથી એસ.ટી.નિગમની બસોને પસાર કરવા બાબતે નર્મદા નિગમ દ્વારા મંજુરી અપાતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ એસ.ટી. બસો આ પુલ પરથી શરૂ કરાતા મુસાફરો એ રાહત અનુભવી છે

(10:53 pm IST)