Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

શહીદ શીરીશકુમાર મહેતા એજ્યુકેશન એન્ડ ચેરેટિબલ ટ્રસ્ટ,સુરત દ્વારા ખેત મજૂરોને સ્વેટર વિતરણ કરાયા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : વર્ષોથી સેવાકાર્ય કરતા નાંદોદ તાલુકાના માંગરોળ ગામના સેવાભાવી કાર્યકર્તા મહેન્દ્રભાઈ પ્રજાપતિ એ આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોલ ગામના ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરતા મજૂર વર્ગને હાલ પડી રહેલી કડકડતી ઠંડીમાં શહીદ શીરીશકુમાર મહેતા એજ્યુકેશન એન્ડ ચેરેટિબલ ટ્રસ્ટ,સુરતના સૌજન્યથી ગરમ સ્વેટર અને ધાભળા નું વિતરણ કરી ઉમદા સેવાકાર્ય પાર પાડ્યું છે.
આમ તો મહેન્દ્રભાઈ પ્રજાપતિ વર્ષો થી નર્મદા જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અભિયાન ચલાવી રહ્યા હોય જેમાં હજારોની સંખ્યામાં વિનામૂલ્યે કાપડ ની થેલીઓ વિતરણ કરી પ્રદુષણ અટકાવવા મોટાપાયે કામ કરી જ રહ્યા છે સાથે સાથે જરૂરીયાતમંદ લોકોને સીઝન મુજબ જરૂરી વસ્તુઓ વિતરણ કરી એક અનોખી સેવા કરતા હોય જેના ભાગરૂપે આજે માંગરોલ ગામના દરિદ્રનારાયણ ને સ્વેટર અને ધાભળા વિતરણ કર્યા હતા .

(10:37 pm IST)