Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

વડોદરા:કામનાથ મંદિરના પરિસરમાં વર્ષો જુના વિશ્વામિત્રી ઘાટની સફાઈ ઝુંબેશ હેઠળ એક હજાર કિલો કચરો બહાર કાઢવામાં આવ્યો

વડોદરા: કામનાથ મહાદેવ મંદિરના પરિસરમાં વર્ષો જૂનો વિશ્વામિત્રી ઘાટ સફાઈ માટે ઝંખી રહ્યો હતો. આખરે આજથી તેની સફાઈ ઝુંબેશનો પ્રારંભ નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિએ કર્યો છે. જેના પ્રથમ દિવસે ઘાટના પગથિયાની સફાઈ કરી દોઢ ટ્રેક્ટર એટલે કે લગભગ એક હજાર કિલો કચરો બહાર કાઢવામાં આવ્યો છે.

બનારસના ગંગા કિનારાના ઘાટ સમાન વિશ્વામિત્રીનો ઘાટ આવેલો છે પણ ગંદકી અને કચરાના જામી ગયેલા થરને કારણે અહીં કોઈ આવવાનું પણ પસંદ કરતું નથી. વિશ્વામિત્રી ઘાટ પુનર્જિવિત થાય અને પ્રવાસીઓનું આકર્ષણ બને તે હેતુથી તેની સફાઈનો પ્રારંભ થઈ ગયો છે. સવારે ૧૦ વાગ્યે સમિતિના સભ્યો, કોર્પોરેશનના અધિકારી અને મજૂરો સહિત ૩૦ લોકો સફાઈમાં જોડાયા હતા.

(5:34 pm IST)