અલીગઢ: અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટી (AMU) શતાબ્દી સમારંભ મનાવી રહ્યુ છે. એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે AMUના વિદ્યાર્થીઓ, ટીચર અને બીજા સ્ટાફને સંબોધિત કર્યા હતા. હવે 25 ડિસેમ્બરે શ્વેતા ભટ્ટ AMUના વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. શ્વેતા IPS સંજીવ ભટ્ટના પત્ની છે. સંજીવ ભટ્ટે ગુજરાત રમખાણ પર ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. તે બાદ તેમણે 30 વર્ષ જૂના એક કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
AMU કોર્ડિનેશન કમિટી કરી રહી છે આ કાર્યક્રમ
પોતાની સ્થાપનાના શતાબ્દી સમારંભ મનાવી રહેલા AMU હવે વધુ એક કાર્યક્રમનો સાક્ષી બનવા જઇ રહ્યુ છે. AMU કોર્ડિનેશન કમિટી આ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. સર સૈયદ નોર્થ હોલમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમનું આયોજન 25 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યે રાખવામાં આવ્યુ છે. શ્વેતા ભટ્ટનું સંબોધન ઓનલાઇન થશે. જેને AMU કોર્ડિનેશન કમિટીના ફેસબુક પેજ પર પણ લાઇવ કરવામાં આવશે. જેની માટે કમિટી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે.
PM મોદીએ વિદ્યાર્થીઓને આપ્યો ટાસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે AMUના 100 વર્ષ પુરા થઇ રહ્યા છે, એવામાં 100 હોસ્ટેલના વિદ્યાર્થી કેટલાક રિસર્ચ કરે. આઝાદીના 75 વર્ષ પુરા થવાના પ્રસંગે આવા સ્વતંત્રતા સેનાનીયો વિશે રિસર્ચ કરો, જેના વિશે અત્યાર સુધી ઘણા ઓછા લોકો જાણે છે. જેમાં 75 આદિવાસી સ્વતંત્રતા સેનાની, 25 મહિલા સ્વતંત્રતા સેનાની વિશે જાણકારી ભેગી કરો. પીએમ મોદીએ સાથે જ જૂની પાંડુલિપીને ડિઝિટલ ક્ષેત્ર દ્વારા દુનિયા સામે લાવો.
PM મોદીએ સરકારની યોજના ગણાવી
આજે દેશ જે યોજના બનાવી રહ્યુ છે તે કોઇ અર્થ-ધર્મના ભેદભાવ વગર દરેક વર્ગ સુધી પહોચી રહી છે.
– કોઇ ભેદભાવ વગર 40 કરોડથી વધુ ગરીબોના બેન્ક ખાતા ખુલ્યા
– કોઇ ભેદભાવ વગર 2 કરોડથી વધુ ગરીબોને પાક્કા ઘર આપવામાં આવ્યા
– કોઇ ભેદભાવ વગર 8 કરોડથી વધુ મહિલાઓને ગેસ મળ્યો
– કોઇ ભેદભાવ વગર આયુષ્યમાન યોજના હેઠળ 50 કરોડ લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર સંભવ બની.
જે દેશનો છે તે દરેક દેશવાસીનો છે અને તેનો લાભ દરેક દેશવાસીઓને મળવી જ જોઇએ, અમારી સરકાર આ ભાવના સાથે કામ કરી રહી છે.
સ્વચ્છ ભારતમાં મુસ્લિમ દીકરીઓની મળી મદદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે જે દેશનો છે, તે દરેક દેશવાસી છે. પીએમ મોદીએ કહ્યુ કે કેટલાક સમય પહેલા AMUના એક પૂર્વ વિદ્યાર્થીએ તેમની સાથે વાત કરતા જણાવ્યુ, ક્યારેય મુસ્લિમ દીકરીઓને સ્કૂલમાંથી ડ્રોપ આઉટ રેટ 70 ટકાથી વધુનો હતો, કેટલાક દાયકાથી આવી જ સ્થિતિ હતી પરંતુ સ્વચ્છ ભારત મિશન બાદ હવે આ ઘટીને 30 ટકા રહી ગયુ છે.
સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસનો મંત્ર
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે સર સૈયદનો સંદેશ કહે છે કે દરેક કોઇની સેવા કરો, પછી તેનો ધર્મ અથવા જાતિ કઇ પણ હોય. ાવુ જ દેશની દરેક સમૃદ્ધિ માટે તેનો દરેક સ્તર પર વિકાસ થવો જરૂરી છે. આજે દરેક નાગરિકે વગર કોઇ ભેદભાવના વિકાસનો લાભ મળી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે નાગરિક સંવિધાનથી મળેલા અધિકારોને લઇને નિશ્ચિત રહો, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ જ સૌથી મોટો મંત્ર છે.
AMUમાં વસે છે મિની ઇન્ડિયા
પીએમ મોદીએ જણાવ્યુ કે AMUના ચાન્સેલરે તેમણે કેટલાક દિવસ પહેલા પત્ર લખી કોરોના વેક્સીનના મિશન દરમિયાન દરેક સંભવ મદદનો વિશ્વાસ આપ્યો છે. AMUમાં એક મિની ઇન્ડિયા છે, અહી ઉર્દૂ-હિન્દી-અરબી-સંસ્કૃત ભણાવવામાં આવે છે.
પીએમ મોદીએ કહ્યુ કે અહીની લાઇબ્રેરીમાં કુરાન છે તો ગીતા-રામાયણનો અનુવાદ પણ છે. AMUમાં એક ભારત-શ્રેષ્ઠ ભારતની સારી તસવીર છે. અહી ઇસ્લામને લઇને જે રિસર્ચ થાય છે, તેનાથી ભારતનો ઇસ્લામિક દેશો સાથે સબંધ સારો થાય છે.