Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

પીએસઆઈ અમિતા જોષી આત્મહત્યા કેસમાં પતિ સહીત પાંચ લોકોની ધરપકડ

મહિધરપુરા પોલીસ ભાવનગર અને ગારિયાધારમાંથી સાસુ, સસરા, અને બે નણંદને પણ ઉઠાવી ગઈ

સુરત :ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ અમિતા જોષીને આત્મહત્યા માટે મજબુર કરનાર તેના પતિ સહિતના સાસરિયાઓ મહિધરપુરા પોલીસે ગારિયાધાર અને ભાવનગરથી ઝડપી લીધા છે.

 પીએસઆઈ અમિતા જોષીએ પખવાડિયા પહેલા ફાલસાવાડી પોલીસ લાઈનમાં આત્મહત્યા કરી હતી. મૃતક તેણીના પિતાએ કરેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોન્સ્ટેબલ પતિ વૈભવ અને સાસુ-સસરા તેમજ નણંદો મિલકત માટે અને પગાર માટે અમિતાને ત્રાસ આપતા હતા. સાસરિયાઓ મકાન વૈભવના નામે કરવાનું કહેતા હતા. અવાર-નવાર પિયા માંગતા હતા. પગારનો હિસાબ માંગતા હતા. અમિતા પોતે મોંઘી કાર અને પતિ સામાન્ય કાર વાપરતો હોવાથી પતિ વૈભવને અપમાન લાગતું હતું.

અમિતાના પિતાએ મહીધરપુરા પોલીસમાંં અમિતાના પતિ વૈભવ, સસરા જીતેશ, સાસુ હષર્,િ નણંદ મનિષા અને નણંદ અંકિતા વિદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની આ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં તમામ આરોપીઓ નાસી ગયા હતા. છેલ્લા ત્રણેક દિવસથી મહિધરપુરા પોલીસની ટીમો સૌરાષ્ટ્રમાં આરોપીઓને શોધતી હતી અને ગારિયાધાર અને ભાવનગરથી પોલીસે પાંચેયને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છ

(12:03 pm IST)