Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

વડોદરામાં રાત્રી કર્ફ્યુ હટાવવા આપ ની માંગણી : ચાર દરવાજા વિસ્તારમાં પોસ્ટર અને બેનર સાથે રેલી યોજી

વડોદરા : આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ચાર દરવાજા વિસ્તારમાં રેલી યોજી હતી. આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાંથી રાત્રી કરફ્યૂ હટાવવા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી હતી.

વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા મંગળવારે જુના શહેરના ચાર દરવાજા વિસ્તારમાં બેનર પોસ્ટર સાથે રેલી યોજવામાં આવી હતી અને રાત્રિ કરફ્યૂ હટાવવા તંત્ર સમક્ષ માંગ કરાઈ હતી. જોકે, આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો એ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને પોતે જ સામજિક અંતર જાળવી શક્યા ન હતા.

(11:34 am IST)