Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

નર્મદા ઝોન સમિતિ પ્રમુખ સાથે પ્રદેશ કારોબારી સદસ્ય તરીકે નિરંજન વસાવાની નિમણૂક થતા આનંદની લાગણી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સરપંચ પરિષદ - ગુજરાતના નર્મદા ઝોન (વડોદરા,ભરુચ અને નર્મદા જીલ્લા)ના સરપંચોને તમામ રીતે મદદરૂપ સાથે માહિતગાર કરવા માટેના હેતુ ધરાવતા આપણા " ફોરમ ફેડરેશન ઓફ રિલાએબલ એમીનીટી એન્ડ મેનપાવર" સંચાલિત સલાહકાર સમિતિ એવી સરપંચ પરિષદ - ગુજરાતના નર્મદા ઝોન સમિતિના પ્રમુખ તરીકે સક્રિય યુવા આગેવાન નર્મદા જિલ્લા ભાજપ આદિજાતિ મોરચા ઉપપ્રમુખ નરેન્દ્ર મોદી મોરચા નર્મદા જિલ્લા વિધાનસભા અધ્યક્ષ મણીનાગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ રાજપીપળા તાલુકાની કુંવરપરા ગ્રામ પંચાયતના યુવા અને શિક્ષિત સરપંચ નિરંજનભાઈ નગીનભાઈ વસાવાની  નિમણૂક કરવામાં આવી છે.

   નર્મદા ઝોન સમિતિ પ્રમુખ તરીકે હોદ્દાની રૂએ પ્રદેશ સમિતિના કારોબારી સદસ્ય તરીકે પણ તેમની નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત સહિત નર્મદા ઝોનના મહામંત્રી તેમજ અન્ય હોદેદારો સાથે વડોદરા, ભરૂચ અને નર્મદા જીલ્લા સમિતિના પ્રમુખ અને મહામંત્રી સહિતના ડેલીગેટની ટુંક સમયમાં નિમણૂંક કરવામા ધ્યાન આપવા નર્મદા ઝોન સમિતિ પ્રમુખ નિરંજનભાઈ વસાવાને સૌએ શુભેચ્છા પાઠવી હતી.

(11:08 pm IST)