Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

મહેમદાવાદ નજીક રીક્ષા પલ્ટી ખાતા આધેડનું સારવાર દરમિયાન મોત

મહુધા:શહેરમાં રહેતા હર્ષદભાઈ જેસંગભાઈ પરમાર આજે સવારે રીક્ષા નં. જીજે-૦૭ વાયઝેડ-૭૦૭ માં બેસી મહેમદાવાદ તાલુકાના અંધેજ ગામે જવા નીકળ્યા હતા.

 

રીક્ષા મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી પાસે આવતા એકાએક પલટી ખાઈ ગઈ હતી. જેથી હર્ષદભાઈને ગંભીર ઈજા થઈ હતી. તેમને ૧૦૮ માં બેસાડી મહેમદાવાદ સરકારી દવાખાનામાં લઈ જતાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે રમેશભાઈ પરમારે ફરિયાદ આપતા મહેમદાવાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(6:47 pm IST)