Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

પ્રાંતિજના બજારો બીજા દિવસે પણ સુમસામ : કોરોના સંક્રમણ અટકાવવા વેપારીઓ દ્વારા સ્વયભૂ બંધ કરાયુ

કાલથી બજારો ખુલશે : 30 મી સુધી રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી જનતા કરફ્યુ રહશે.

સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે વેપારીઓ દ્વારા આપવામાં આવેલ સ્વયંભૂ બંધને બીજા દિવસે પણ બજારો સજજડ બંધ રાખવામાં આવ્યા છે. કોરોનાનું વધતું સંક્રમણ અટકાવવા માટે બજાર સ્વયંભૂ બંધ કરાયું છે. લારી ગલ્લા સહિત તમામ દુકાનો બીજા દિવસે પણ બંધ જોવા મળી હતી રોડ અને બજારો સુમસામ જોવા મળ્યા હતા.

સાબરકાંઠાના પ્રાંતિજમાં વેપારીઓએ કોરોના સંક્રણમને અટકાવવા માટે બે દિવસથી સ્વયંભૂ બંધ રાખ્યું છે. મંગળવારથી પ્રાંતિજ બજાર રાબેતા મુજબ ખુલશે. 30 નવેમ્બર સુધી રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી જનતા કરફ્યુ રહશે.

(12:48 pm IST)