Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

26મીએ શંખેશ્વરમાં રોજગાર લક્ષી માર્ગદર્શન અને ભરતી મેળાનું આયોજન

સ્થળ પર યુવાનોના ઇન્ટરવ્યુ લઇ નોકરી માટે પસંદગી કરવામાં આવશે

પાટણ જિલ્લાના શંખેશ્વર ગામ માં રાધે શોપીંગ સેન્ટરમાં આવેલ મહિલા આઇટીઆઇ માં આગામી ૨૬ નવેમ્બરના દિવસે 11:00 વાગ્યાથી ભરતી મેળાનું આયોજન કરેલ છે પાટણ જિલ્લા રોજગાર કચેરી આઈ.ટી.આઈ શંખેશ્વર દ્વારા આયોજિત આ ભરતી મેળામાં બેરોજગાર યુવાનો તેમજ યુવતીઓ માટે રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવવા માટે ની પ્રક્રિયા પણ કરવામાં આવશે તેમ જ કચ્છ ના અંજારમાં સ્થિત કંપનીના અધિકારીઓ દ્વારા સ્થળ પર યુવાનોના ઇન્ટરવ્યુ લઇ નોકરી માટે પસંદગી કરવામાં આવશે તેમ જ દેના આર સેટી પાટણ દ્વારા ગૃહ ઉદ્યોગ કૌશલ્યવર્ધન અને રોજગારલક્ષી તાલીમની માહિતી અને માર્ગદર્શન આપશે

   આ કાર્યક્રમ માટે શંખેશ્વરમાં કાર્યરત રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શંખેશ્વર તાલુકાના ગામોમાં માહિતિ માર્ગદર્શન આપી બેરોજગાર યુવાનોને આ ભરતી મેળામાં વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત થઈ રોજગારી અને માર્ગદર્શન મેળવવા માટે ભલામણ કરવામાં આવેલ છે

(7:30 pm IST)