Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

પાટીદારોને અનામત નહી મળે તો 2019ની ચૂંટણીમાં સરકારની વિરુદ્ધ લડત આપશે :લાલજી પટેલની ચીમકી

45મી અરજી ઓબીસી આયોગમાં દાખલ ;ચાર વર્ષમાં 148 રેલી છતાં અનામત કેમ નહીં ??

 

અમદાવાદ : એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને અનામત માટે માંગ કરી છે.

 એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું કે તેમના દ્વારા 45મી અરજી ઓબીસી આયોગમાં દાખલ કરાઈ છે. છેલ્લા 4 વર્ષમાં 148 રેલીઓ પણ યોજી છે. પરંતુ હજી સુધી પાટીદારોને અનામત મળ્યું નથી. લાલજી પટેલે ચિમકી ઉચ્ચારી કે જો પાટીદારોને અનામત નહી મળે તો વર્ષ 2019ની ચૂંટણીમાં પાટીદારો સરકારની વિરુદ્ધમાં લડત આપશે.

(12:12 am IST)