Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

આગામી 31 ઓક્ટોમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા પરેડમાં આવનાર હોય સુરક્ષા જવાનોની ટુકડીઓ કેવડિયા આવી પહોંચી.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આગામી 31 ઓક્ટોમ્બરે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતા પરેડ ની ઉજવણી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવનાર હોવાથી સ્થાનિક વહીવટી તંત્ર ઘણા દિવસોથી તે માટેના  આયોજન મા વ્યસ્ત છે અને તમામ પ્રકાર ની સાવચેતી સાથે આદિવાસી સંગઠને પણ બંધના એલાનની જાહેરાત કરી હોય જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે પણ સ્થાનિક પોલીસ ખાસ કાળજી રાખી રહી હોય ઉપરાંત આવતીકાલથી એકતા પરેડનું રિહર્સલ પણ હોય ત્યાંની મજબૂત સુરક્ષા માટે અલગ અલગ સુરક્ષા કંપનીઓ બંદોબસ્તમાં તૈનાત રહે તે માટે આજે બી.એસ.ફ. સી.આઇ. એફ. એસ. ,એસ.આર.પી.,સી.આર.પી.એફ. કમાન્ડો જેવી દેશની સુરક્ષા જવાનો ની ટુકડીઓ આજે કેવડિયા આવી પહોંચી હતી.

(10:38 pm IST)