Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

લાખણી-થરાદ પર ફોરલેન હાઈવે બનાવાશે: અંબાજીમાં અતિથિગૃહના લોકાર્પણ પ્રસંગે નીતિનભાઈ પટેલની જાહેરાત

લાખણી-થરાદ 18 કિલોમીટરનો ફોરલેન હાઈવે બનાવાશે.

આજે અતિથિગૃહ અંબાજી યાત્રાધામનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના હસ્તે કરાયું હતું. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 15 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ નવીન અતિથિગૃહ અંબાજી યાત્રાધામની સુવિધામાં વધારો થયો છે. ત્યારે આ દરમિયાન અંબાજીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી હતી

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, લાખણી-થરાદ 18 કિલોમીટરનો ફોરલેન હાઈવે બનાવાશે., જિલ્લા સાંસદ પરબત પટેલે અગાઉ આ અંગે માંગ કરી હતી. નીતિન પટેલની જાહેરાત બાદ સ્થાનિક નેતાઓ અને લોકોએ આભાર માન્યો હતો. .

(9:19 pm IST)