Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

નવરાત્રીમાં માતાજીના પ્રસાદ વિતરણ પર રોક ભાજપની ચૂંટણી સભામાં ખુલ્લેઆમ મીઠાઈના બોક્સનું થયું વિતરણ

ગઢડામાં પીટીસી કોલેજમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની સભા

અમદાવાદ : કોરોના કાળમાં ગુજરાતીઓનો સૌથી લાંબો અને મોટો તહેવાર એટલે કે નવરાત્રી હાલમાં ચાલી રહ્યો છે. તેમાં પણ સરકારે ગરબા ગાવા અને પ્રસાદ વિતરણ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છેત્યારે ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીની સભામાં મીઠાઈના બોક્સ વહેચવામાં આવ્યા છે. શું ચૂંટણી સભામાં મીઠાઈ  વહેચાવાથી કોરોના નાશ થાય છે. તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાઈઓ રહ્યા છે

 . ગઢડા બેઠક ઉપર પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજ રોજ ગુજરાત ખાતે ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા. અને ગઢડા બેઠક ઉપર સભા યોજી હતી.

 ગઢડા શહેરમાં આવેલ પીટીસી કોલેજમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને કેબીનેટ મંત્રી વિભાવરી દવે  અને સાંસદ ભારતીબેન શિયાળ ઉપસ્થિત હતા . નવરાત્રિમાં માતાજીના પ્રસાદ પર પ્રતિબંધ પરંતુ ભાજપએ નિયમો નેવે મૂકી ને સભા બાદ મીઠાઈના બોક્સનું વિતરણ કર્યું હતું

(8:50 pm IST)