Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

વિદ્યા, શિક્ષણ તથા અધ્યાપક સહાયક ભરતી ટૂંકમાં કરાશે

૩૦૦૦ વિદ્યા સહાયકોની ભરતી કરાશે : કુલ ૧ર,૩૪૪ ખાલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા દિવાળી બાદ સત્વરે હાથ ધરાશે : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસ્મા

અમદાવાદ, તા. ૨૩ :  રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના વિદ્યા સહાયકો, માધ્યમિક અને ઉચ્ચઉતર માધ્યમિકના શિક્ષણ સહાયકો તથા ઉચ્ચશિક્ષણના અધ્યાપક સહાયકો સહિત વિવિધ સંવર્ગની ખાલી રહેલી જગ્યાઓ સત્વરે ભરવાનો શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત દિવાળી પછી તરત જ આ જગ્યાઓની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું  છે. આગામી દિવસોમાં જે જગ્યાઓની ભરતી થનાર છે તેમાં ૩૦૦૦ જેટલા પ્રાથમિક શિક્ષણમાં વિદ્યા સહાયકો, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના ૭પ૧૮ શિક્ષણ સહાયકો તથા ઉચ્ચ  શિક્ષણ સાથે સંકળાયેલી  વિવિધ સંવર્ગની કુલ ૧૮ર૬ ખાલી જગ્યાઓની ભરતીનો સમાવેશ થાય છે. આમ, આગામી દિવસોમાં કુલ ૧ર,૩૪૪  વિદ્યા સહાયકો, શિક્ષણ સહાયકો તથા અધ્યાપક સહાયકોની ભરતી થતાં શિક્ષણ કાર્યને વધુ વેગ મળશે.

              પ્રાથમિક શિક્ષણમાં જે ૩૦૦૦ વિદ્યાસહાયકોની ભરતી થનાર છે તેમાં અન્ય માધ્યમોમાં રહેલ ખાલી જગ્યા પર પ્રથમ ભરતી કરવામાં આવશે. રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ખાલી જગ્યાાઓ કેન્દ્રી યકૃત રીતે ભરવા શિક્ષણ વિભાગે વર્ષ ર૦૧૧-૧રમાં જાહેરનામું બહાર પાડયું હતું. અગાઉ છેલ્લેે એપ્રિલ  ર૦૧૬માં લગભગ ૬૩૧૬ જગ્યાુઓ માટે જાહેરાત આપવામાં આવી હતી. તેમાંથી ૪૦૬૩ શિક્ષણ સહાયકોને નિમણૂંક આપી દેવાયેલી. ત્યાલરબાદ આર્થિક નબળા પછાત વર્ગના ઉમેદવારોને ૧૦ ટકા અનામત આપવાનંું રાજય સરકારે ઠરાવતા હવે નવા રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત કરાવ્યા બાદ શિક્ષણ સહાયક ઉમેદવારોની ભરતી કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ તર માધ્યમિક શાળાઓની જગ્યાઓમાં વયનિવૃત્તિથી નિવૃત્ત થતા શિક્ષકોની ખાલી જગ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.  આ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં નિયામક શાળાઓની કચેરી  દ્વારા કરવામાં આવશે. ઉલ્લેનખનીય છે કે નિયામક શાળાઓની કચેરી દ્વારા સૌ પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં શિક્ષણ સહાયકોની ભરતી થશે.

(9:48 pm IST)