Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

વિરમગામની આનંદ મંદિર સ્કુલ દ્વારા રંગોળી અને દિવા સજાવટ સ્પર્ધા યોજાઇ

વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રંગબેરંગી રંગોળીઓ તથા કલાત્મક દિવડાઓની સજાવટ કરાઈ

 વિરમગામ: અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરની જાણીતી શૈક્ષણીક સંસ્થા આનંદ મંદિર સ્કુલ દ્વારા રંગોળી અને દિવા સજાવટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

  આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રંગબેરંગી રંગોળીઓ તથા કલાત્મક દિવડાઓની સજાવટ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વાલીઓ દ્વારા વિદ્યાર્થીમાં રહેલી સર્જનાત્મક શક્તિઓ ખીલવવાનો છે તેમ વિરમગામની આનંદ મંદિર સ્કુલના ગોકુલ પટેલે જણાવ્યુ હતુ.

(7:05 pm IST)