Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

પાસ છોડી ભાજપમાં જોડાયેલ રેશમા પટેલે ડે. સીએમ અને ગૃહપ્રધાનની કરી મુલાકાત

પાટીદાર શહીદ પરિવારજનોને નોકરી આપવા મુદ્દે કરી રજૂઆત

 

અમદાવાદ :પાસ સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ પહેરનાર રેશ્મા પટેલે પાટીદાર શહીદના પરિવારજનોને નોકરી આપવા મુદ્દે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ડે.સીએમ નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં રેશ્મા પટેલે મુલાકાત દરમિયાન કેટલાક બાયોડેટા પણ આપ્યા હતા.

    અત્રે ઉલ્લેખનીય છે કે રેશ્મા પટેલે આક્ષેપ કર્યા હતા કે તેણે શહીદના પરિવાજનોને નોકરી આપવામા આવે તે માટે અનેક વખત મૌખિકમાં રજૂઆત કરી હતી. આ પહેલા રેશ્માએ આક્ષેપ કર્યા હતા તેની વાતને પક્ષમાં સાંભળી ન સાંભળી કરવામાં આવી રહી છે. ત્યારે તેણે સોશિયલ મીડિયામાં પોતાની હૈયાવરાળ ઠાલવીને સીએમને પત્ર લખ્યો હતો. જે બાદ પ્રદિપસિંહ જાડેજા અને નીતિન પટેલ સાથે મુલાકાત કરીને પોતાની રજૂઆતો કરી હતી.

(12:15 am IST)