Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

રાજ્ય સરકાર 15 નવેમ્બરથી ખેડૂતો પાસેથી મગફળની ખરીદીશરૂ કરશે

અમદાવાદ :ગત વર્ષે મગફળીની ખરીદીમાં કૌભાંડો બહાર આવ્યા બાદ આ વર્ષે સરકાર અને નાફેડ મગફળીની ખરીદીમાં સાવચેત છે. રાજ્યમાં 122 ખરીદ કેન્દ્રો પરથી સરકારે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. ગત વર્ષે સરકારે 8.30 લાખ ટન મગફળીની ખરીદી કરી હતી. આ વર્ષે 15 નવેમ્બરથી ખરીદી શરૂ કરશે. ખેડૂતોને પ્રતિ મણ ટેકાના ભાવ 1001 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. અગાઉ આ ભાવ 978 રૂપિયા હતો.

 

(8:50 pm IST)