Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

અમદાવાદ: આરોપીને કરંટ આપીને પોલીસે ઢોરમાર મારતા કરુણ મોત

અમદાવાદ:અઢી કરોડ સોના-ચાંદીના પાર્સલના ચોરી કેસમાં પોલીસે કરંટ આપીને ઢોર માર મારતા સુરુભા ઝાલાનું મોત નીપજ્યું હતું. આ કસ્ટોડિયલ ડેથ કેસમાં ઘટના બની ત્યારે રાત્રે ફરજ પર હાજર તમામ પોલીસ સામે પગલાં ભરવામાં આવશે. એટલું જ નહી આ કેસમાં ભીનું સંકેલાવાના પરિવારજનોના આક્ષેપને પગલે બોપલ પીઆઇ પાસેથી તપાસ આંચકીને ડીવાયએસપીને સોંપવામાં આવશે.

બગોદરા પોલીસે ગત તા. ૧૩ના રોજ અઢી કરોડના સોના ચાંદીના પાર્સલની ચોરીનો ગુનો નોધ્યો હતો. જેમાં શકમંદ તરીકે કુરિયર કંપનીના ગાડીના ડ્રાઇવર તરીકે લીંબડીના સુરુભા ભરતસિંહ ઝાલાને જાહેર કરાયા હતા. પોલીસે તેઓની અટકાયત કરીને પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સુરુભા ઝાલાને રાજકોટથી લીંબડી રૃટ પર લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ બપોપલ એલસીબી કચેરી ખાતે લાવીને કડક પુછપરછ કરીને ઢોર મારમારીને કરંટ આપ્યા હતા એટલું જ નહી નખ પણ ખેેચી કાઢવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકનું મોડી રાતે મોત નીપજ્યું હતું.

(5:01 pm IST)