Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ગોપાલક વિકાસ નિગમ દ્વારા ૪૦૦થી વધુ લાભાર્થીને ૭૦૦ કરોડના ચેક અર્પણ

નરેન્દ્રબાપુ, મંત્રી વાસણભાઈ આહિર, ઈશ્વરભાઈ પરમાર અને ભરવાડ સમાજના નેતા ભવાન ભરવાડની હાજરી

ગાંધીનગર : રાજયના ગોપાલક વિકાસ નિગમ દ્વારા ૪૦૦થી વધુ લાભાર્થીને ૭૦૦ કરોડના ચેક અર્પણ કરાયા હતા  ભરવાડ સમાજના યુવાન યુવતીઓ પોતાની રીતે પગભર થાય અને ધંધાર્થી બને તે હેતુથી ૪૦૦ જેટલા લાભાર્થીઓને સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવી હતી.

ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આપા ગીગાના ઓટલા વાળા નરેન્દ્રબાપુ,રાજયકક્ષાના પ્રધાન વાસણ આહિર અને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પ્રધાન ઈશ્વર પરમાર ઉપસ્થિત રહ્યાં હતા

આ પ્રસંગે ભરવાડ સમાજના આગેવાન અને ભાજપના નેતા ભવન ભરવાડ પણ હાજર રહ્યા હતાં. કોંગ્રેસની સરકારમાં નિગમ દ્વારા આવી કોઇ જ પ્રકારની વ્યવસ્થા અથવા તો સહાય આપવામાં આવતી ન હોવાનો આક્ષેપ ભવન ભરવાડે કર્યો હતો.

(4:16 pm IST)