Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

તલાટીની રાજ્યવ્યાપી હડતાળ: એકતા રથયાત્રા માટે આંગણવાડીની બહેનો-ગ્રામ સેવકોને કામગીરી સોંપાઈ

વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાથી શિક્ષકોને જવાબદારી સોંપાઈ નથી

 

અમદાવાદ :તલાટીઓ દ્વારા પોતાની પડતર માગણીને લઇને અચોક્કસ મુદત હડતાળ પર છે. ત્યારે અમદાવાદ જિલ્લા કલેક્ટરે એકતા રથયાત્રાની જવાબદારી આંગણવાડીની બહેનો અને ગ્રામ સેવકોને સોંપી છે. જ્યારે વધારાની વહીવટી કામગીરીની જવાબદારી રેવન્યુ તલાટીની સોંપાઈ છે.

   પહેલા શિક્ષકોને જવાબદારી આપવાના હતા. પરંતુ વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાથી શિક્ષકોને જવાબદારી નથી સોંપાઈ. કલેક્ટરનો દાવો છે કે તલાટીઓની માગ અંગે સરકાર ખૂબ ગંભીર છે. બની શકે છે તેમની સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.

(12:41 am IST)