Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

રાજ્યમાં કોરોનાંનો કહેર યથાવત : નવા 1372 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 15 લોકોના મોત :કુલ કેસનો આંક 1,27,541 થયો :વધુ 1289 દર્દીઓ સાજા થતા 107701 લોકોએ કોરોનાને હરાવ્યો

સુરતમાં સૌથી વધુ 294 કેસ ,અમદાવાદમાં 185 કેસ, વડોદરામાં 134 રાજકોટમાં 141 કેસ ,જામનગરમાં 94 કેસ,બનાસકાંઠામાં 51 કેસ,મહેસાણામાં 45 કેસ,ગાંધીનગરમાં 38 કેસ,ભાવનગરમાં 37 કેસ, કચ્છ અને અમરેલીમાં 27-27 કેસ ,મોરબીમાં 26 કેસ,ભરૂચમાં 22 કેસ નોંધાયા :રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકડામાં તફાવત યથાવત : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે આજે નવા 1372  પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,27,541 થઇ છે ,બીજી તરફ 1289 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે.  અત્યાર સુધીમાં કુલ 107701 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3370 થયો છે

અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવરહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ 16470 છે જેમાં 16334 સ્ટેબલ છે જયારે 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે રાજ્યમાં રિકવરી રેટ 84,44 % પર પહોંચ્યો છે. ત્યારે આજે 1,289 દર્દીઓ સાજા થયા છે.

  રાજ્યમાં આજે નોંધાયેલા  1372 પોઝિટિવ કેસમાં સુરતમાં સૌથી વધુ  294 કેસ ,અમદાવાદમાં 185 કેસ, વડોદરામાં 134 રાજકોટમાં 141 કેસ ,જામનગરમાં 94 કેસ,બનાસકાંઠામાં 51 કેસ,મહેસાણામાં 45 કેસ,ગાંધીનગરમાં 38 કેસ,ભાવનગરમાં 37 કેસ, કચ્છ અને અમરેલીમાં 27-27 કેસ ,મોરબીમાં 26 કેસ,ભરૂચમાં 22 કેસ નોંધાયા  છે

(8:03 pm IST)