Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

તિલકવાડા વાસણા કોલોનીમાં રહેતી મહિલાને ઘર પાસે આવેલા જી.ઇ.બી.ના પોલ પર કરંટ લાગતા મોત થયું.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા ની વાસણા કોલોની માં રહેતી એક મુસ્લિમ મહિલા ને ઘર આગળ આવેલા વીજ કંપની ના પોલ ઉપર કરંટ લાગતા તેમનું મોત નીપજ્યું છે.
 પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડાની વાસણા કોલોનીમાં રહેતી જાહેદાબીબી ઇકબાલભાઇ દાયમા (ઉ.વ.૪૫)ને  પોતાના ઘરની આગળ આવેલ જી.ઇ.બી.ના થાંભલાના તાણીયા સાથે કરંટ લાગતા તેમનું મોત થયું હતું.આ બાબતે તિલકવાડા પોલીસે અ.મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે

(6:50 pm IST)