Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

યુપીના ગવર્નર આનંદીબેન પટેલના અમદાવાદના બંગલામાં આગ : વરંડાનો કેટલોક ભાગ સળગી ગયો : મફતભાઈ પટેલને ઇજા નથી

એર ક્ધડીશનીંગ ડકટમાં આગ લાગ્યાનો ફોનકોલ ફાયરબ્રિગેડ દોડ્યું ; આગ કાબુમાં

 

અમદાવાદ : રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના ગવર્નર આનંદીબેન પટેલના મેમનગર ખાતેના નિવાસસ્થાને આગ ફાટી નીકળી હતી. પતિ મફતભાઈ પટેલ આગ લાગી ત્યારે તેઓ ઘરના  પ્રથમ મજલે હતા તેઓને કોઈ ઇજા થઇ નથી .

 અમદાવાદ અગ્નિશમન કેન્દ્રના અધિકારીએ જણાવ્યું હતું કે તેમને રવિવારે બપોર બાદ પુર્વ મુખ્યપ્રધાનના બંધ નિવાસસ્થાને એર ક્ધડીશનીંગ ડકટમાં આગ લાગ્યાનો ફોનકોલ આવ્યો હતો. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ એસી ડકટમાંથી ધુમાડા અને અગનજવાળા જોવામાં આવ્યા હતા. વરંડાનો કેટલોક ભાગ સળગી ગયો હતો. આગ 10 મીનીટમાં કાબુમાં આવી ગઈ હતી. ફોન કરનારે મકાન બંધ હોવાનું જણાવ્યું હતું પણ આનંદીબેનના પતિ મફતભાઈ  પટેલ મકાનના પ્રથમ મજલે હોવાનું જણાવ્યું હતું.

(12:30 am IST)