Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

રાજકોટમાં ૨૦૯૯ માં કાર્ડ અને ૨૮૩૩ અંગદાન સંકલ્પ

વિવેકાનંદ કેન્દ્રો દ્વારા ૭૧૯૦૩ પરિવારોને આરોગ્ય કાર્ડ વિતરણઃ સૂર્ય ઉર્જા વપરાશ અંગે અભિયાન ઉપાડાશે

ગાંધીનગર, તા.૨૩: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના તાજેતરના ૧૭ સપ્ટેમ્બર ના ઉજવાયેલા જન્મ દિવસ ને  રાજયભરના ૧૫૦૧૦ જેટલા સ્વામી વિવેકાનંદ યુવાકેન્દ્રોના યુવાઓએ સેવા હી પરમો ધર્મ સૂત્ર સાથે ઉજવી ને ૨૫૨૫૨ માં કાર્ડ અને ૪૬૬૫૧ આયુષ્યમાન ભારત કાર્ડ  વિતરણ દ્વારા ૭૧૯૦૩ ગરીબ જરૂરતમંદ વ્યકિતઓ પરિવારો ને વિના મૂલ્યે આરોગ્ય સેવાઓ મળે તે માટેનો  એક નવો  રાહ ચિંધ્યો છે.

એટલુંજ નહિ જીવન બાદ પણ જીવન ની સંકલ્પના સાકાર કરવા અંગ દાન માટે લોકોને પ્રેરિત કરી નેત્રદાન અંગ દાન દેહ દાન માટેના૨૪૩૬૧ સંકલ્પ પત્રો પણ  મેળવ્યા છે.

માં અને આયુષ્યમાન ભારત  યોજનાના કાર્ડ વિતરણની સંખ્યામાં સૌથી વધુ લાભાર્થીઓ બનાસકાંઠામાં આવરી લેવાયા છે આ જિલ્લામા ૨૨૦૨  મા કાર્ડ અને ૨૬૯૫ આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કરાયા છે. સાબરકાંઠામાં આ સંખ્યા અનુક્રમે ૧૧૧૦ અને૧૪૫૦ ની તેમજ રાજકોટમાં ૨૦૯૯ મા કાર્ડ અને  ૨૮૩૩ અંગદાન સંકલ્પ પત્રો થયા છે.

ખેડા જિલ્લામાં વિવેકાનંદ યુવકેન્દ્રો ના યુવાઓ એ ૨૧૫૯ માં કાર્ડ અને ૨૯૩૫ આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કર્યાં છે.

ભાવનગર માં ૧૪૦૨ મા કાર્ડ અને૧૧૧૨ આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ સુરેન્દરનગર માં આ સંખ્યા ૧૭૮૮ અને ૩૦૪૨ની રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ   ઝોનલ કેન્દ્રોના યુવા સંયોજકો સાથે બેઠક યોજીને તેમના આ અભિનવ સેવા કાર્યને બિરદાવ્યું હતુ.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી  ગુજરાત રાજય  યુવક બોર્ડ ના માધ્યમ દ્વારા યુવા શકિત ને રચનાત્મક માર્ગે વાળી આવતીકાલ ના સક્ષમ રાષ્ટ્ર ના  ઘડતરના આધાર બનાવવા  રાજયના ૩૩ જિલ્લામાં સ્વામી વિવેકાનંદ યુવાકેન્દ્રોની રચના કરવામાં આવી છે. રાજયભરમાં આવા ૧૫૦૧૦ સક્રિય યુવા કેન્દ્રો કાર્યરત છે.

યુવા કેન્દ્રની બહુવિધ પ્રવૃત્તિ  તહેત સરકારની યોજનાઓ ની માહિતી અને લાભ તથા સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્યિત કરવામાં આવ્યું છે. આ યુવા કેન્દ્રોના યુવાઓ આવનારા દિવસોમાં  સૌર ઊર્જાના મહત્તમ ઉપયોગ માટેની સોલાર રુફટોપ યોજના  ના વ્યાપક પ્રસાર સહિત પોષણ અભિયાન અને લોકો ના પ્રશ્નોના ઘર આંગણે નિવારણ ના ઉપક્રમ સેવસેતુ જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમમાં  યોગદાન આપવાના છે.

(12:00 pm IST)