Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

સેલવાસમાં ક્લાસ વન અધિકારી જીજ્ઞેશ કાછીયાનો ગળેફાંસો ખાઈને આપઘાત

જિલ્લા ઉદ્યોગકેન્દ્રના પ્રોજેક્ટ મેનેજર કાછીયા સામે વધુ સંપત્તિ મામલે તપાસ હતી ;આઠ પાનાની સ્યુસાઇટ નોટ મળી

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસ ખાતે કલાસ વન અધિકારી જીજ્ઞેશ કાછીયાએ તેના જ ઘરમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.

 જિજ્ઞેશ કાછીયા જે  જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રોજેક્ટ મેનેજર પણ હતા અને તેના મૃતદેહ પાસેથી 8 પાનાની સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે જીજ્ઞેશ કાછીયા પર ભ્રષ્ટાચારના આરોપો અને આવક કરતાં વધુ સંપત્તિની તપાસ થઈ રહી હતી. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ થઈ હતી.પોલીસે તપાસ કરી ત્યારે પોલીસને કુલ 8 પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:32 pm IST)