Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્વસ્થ અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ગરીબોને આવાસ,ગેસ,શૌચાલય,વીજળી સહિતની સુવિધા ભાજપે આપી :ગુજરાતમાં આયુષ્યમાન ભારત યોજનાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

અમદાવાદ :મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્ય માન ભારતનો રાજ્યમાં  પ્રારંભ કરાવતા આ યોજના દેશના ગરીબો માટે સોનાનો સૂરજ લાવનારી ગણાવી છે.

   તેમણે કહ્યું કે આજ દિવસ સુધી ગરીબોના નામે સરકારો બનતી..ગરીબી હટાવો ના નારા લાગતા પણ ગરીબ ઠેર નો ઠેર જ રહ્યો.વાસ્તવમાં ન ગરીબોનો વિચાર કેન્દ્રમાં રહ્યો કે ન મૂળભૂત પાયા ની આવશ્યકયતાઓ પર ધ્યાન અપાયું.આના પરિણામે ગરીબો અને અમીરો વચ્ચે ની ખાઈ વધતી ગઇ અને સમતોલ વિકાસ ન થઈ શક્યો.

      હવે દેશ માં નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં એવી સરકાર છે જેના હૈયે ગરીબ વંચીત પીડિત ગામડું સૌના સમ્યક વિકાસ નું હિત સમાયેલું છે.

  વિજયભાઈએ કહ્યું કે જનધન યોજના થી કરોડો ગરીબો ના બેન્ક ખાતા ખોલાવી ને તેમને મળતી સહાય સીધી તેમના ખાતા માં જમા કરાવી વચેટિયા નાબૂદ કર્યા છે.

  આરોગ્ય સુરક્ષા જ નહીં ગરીબો ને આવાસ ગેસ ના કનેક્શન. ઘર શૌચાલય ઘર ઘર વિજળી જેવી તમામ સુવિધાઓ કેન્દ્ર ની ભાજપા સરકારે આપી છે.

ગરીબોની બેલી અને નોંધારા નો આધાર બની કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્વસ્થ તન્દુરસ્ત સમાજ નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે.

   મુખ્યમંત્રીએ ઉમેર્યું કે સ્વસ્થ સમાજ જ વિકાસ ના નવા પરિમાણો સાકાર કરી શકે..આપણે એવા સ્વસ્થ સ્વચ્છ સમાજનું નિર્માણ કરી ને ભારત ની ગંદા બીમાર અસ્વચ્છ ગરીબ દેશ ની છબિ દૂર કરી સૌને વિકાસ માં સહભાગી બનાવવા છે.

    વિજય ભાઈ એ આ આયુષ્યમાન ભારત યોજના માં ગરીબોને પાંચ લાખ સુધીનું આરોગ્ય રક્ષા કવચ મળશે તેની ભૂમિકા આપતા ઉમેર્યું કે રાજ્ય સરકાર પણ મધ્યમ વર્ગીય પરિવારો ની પડખે સંવેદનશીલતા થી ઉભી છે અને ગંભીર બીમારી ની સારવાર માટે  માં અમૃતમ વાત્સલ્યમ યોજના 3 લાખ સુધી ના આરોગ્ય  કવચ માટે અમલી કરી છે.

  તેમણે માર્ગ અકસ્માત ના કિસ્સા માં કોઇ પણ નાગરિકનેે ત્વરિત તાત્કાલિક સારવાર મળે તે માટે 50 હજાર રાજ્ય સરકાર આપે છે તેની પણ ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રી એ  કહ્યું કે  છેવાડા ના ગરીબ વંચીત પરિવારો અને પ્રજાવર્ગો ની આરોગ્ય સુખાકારી ની સર્વગ્રાહી ચિંતા કેન્દ્ર અને રાજ્યની આ સંવેદનશીલ સરકારે કરી છે તે આ આયુષ્યમાન ભારત યોજના થી વધુ એકવાર પુરવાર થયું છે.

(6:38 pm IST)