Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

મોડાસા પાલિકાએ ઠેરઠેર થયેલ ગણેશ સ્થપાના વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કર્યો

મોડાસા:આગામી અનંત ચૌદસના દિને અરવલ્લી જિલ્લાભરમાં ઠેરઠેર ભગવાન  ગણેશજીની વિસર્જન યાત્રાઓ વાજતે ગાજતે યોજાશે અને છેલ્લા ૧૦ દિવસથી સ્થાપતિ કરી જે ગણેશ મૂર્તિઓની પૂજા-અર્ચના યોજાતી હતી.તેવી મૂર્તિઓનું જળમાં વિધિપૂર્વક વિસર્જન કરાશે.

મોડાસા નગર પાલિકા દ્વારા ભગવાન ગણેશની વિશાળ મૂર્તિઓ સન્માન પૂર્વક વિસર્જિત કરવા તેમજ પર્યાવરણને નુકશાન ન થાય તેવી કાળજીપૂર્વકનું આયોજન હાથ ધરાયું છે.અને વિશાળ કૃત્રિમ કુંડ દોલપા તળાવ કિનારે ઉભો કરાયો છે.

(5:15 pm IST)