Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ગાંધીનગર સે-16માં બેન્કના ઓફિસરે અગમ્ય કારણોસર ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગાંધીનગર: શહેરના સે-૧૬માં આવેલી બેંક ઓફ ઈન્ડિયામાં ઝોનલ ઓફીસર તરીકે ફરજ બજાવતાં અને સે-૧૯ના બ્લોક નં.૫૪/બી ખાતે રહેતા ૫૯ વર્ષીય અખિલેશભાઈ ઓમપ્રકાર જલોટા મુળ ઉત્તર પ્રદેશના વતની છે.

 


આજે સવારના સમયે તેમના પત્નિ ફીઝીયોથેરાપીની સારવાર માટે ગયા હતા તે દરમ્યાન અખિલેશભાઈ ઘરે એકલા જ હતાં તે દરમ્યાન તેમણે તેમના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. બપોરે પત્નિ ઘરે પહોંચ્યા ત્યારે આ ઘટના જોઈ તેમના માથે આભ ફાટયું હતું. 

(5:15 pm IST)