Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

અમદાવાદમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં દીકરાના પિતા સહીત ત્રણ અન્ય શખ્સ પર જીવલેણ હુમલો

અમદાવાદ:પ્રેમ પ્રકરણની ઘટનામાં સમધાનના બહાને સરખેજથી ત્રણ વ્યકિતને કારમાં સેટેલાઇટમાં લાવવામાં આવ્યા હતા ત્યારબાદ છોકરાના પિતા અને ભાણેજ, બનેવી સાથે તકરાર કરી હતી અને ગાળો બોલીને બેઝ બોલ સ્ટીકથી ઢોર મારમાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ બનાવ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે સરખેજ ઉજાલા સર્કલ પાસે પાર્વતીનંદન પાર્ક સોસાયટીમાં રહેતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા કનૈયાલાલ પરસોત્તભાઇ સાધુએ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે આંબલી ગામ ખાતે રહેતા હસમુખભાઇ સાધુની દીકરી સાથે તેમના પુત્ર ગૌરાંગે પ્રેમ લગ્ન કર્યા હતા. ફરિયાદી પોતાના દિકરાની શોધખોળ કરી રહ્યા હતા, ત્યાં ગઇકાલે રાત્રે સમાજના આગેવાન કનુંભાઇ રામાનુજ તેમના ઘેર આવ્યા હતા અને કહ્યુ કે દિકરી પક્ષના લોકો તમારી સાથે સમાધાન કરવા તૈયાર છે.

(5:14 pm IST)