Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

શિક્ષણમંત્રી દ્વારા પુરાવા રજુ કરવા માટેની માંગણી કરાઈ

૨૭મીએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા અરજી કરાય તેવી શક્યતા : ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ચૂંટણી અરજી કેસમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પુરાવા રજુ કરવા માંગનો અરજદાર દ્વારા જોરદાર વિરોધ કરાયો

અમદાવાદ, તા.૨૩ : ગુજરાત હાઈકોર્ટે ધોળકા વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને હાલના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકરાતી રિટના કેસમાં ગુજરાત હાઇકોર્ટેમાં આજે ભુપેન્દ્રસિંહ ચુડાસમા તરફથી પોતાના પક્ષે એવિડન્સ રજુ કરવાની માંગ કરી હતી. જોકે, કોંગ્રેસના અરજદાર ઉમેદવાર તરફથી ચુડાસમાની આ રજુઆતનો વિરોધ કરાયો હતો અને જણાવવાયુ હતું કે, લિસ્ટ ઓફ વિટનેસમાં ચુડાસમાનું નામ નહીં હોવાથી તેઓ પુરાવો રજુ કરી શકે નહીં. તેથી આ કેસમાં તા. ૨૭મી ઓગસ્ટે ચુડાસમા તરફથી પોતાનો પુરાવો રજુ કરવા માટે અરજી કરાય તેવી શક્યતા છે.રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી કોગ્રેસના ઉમદેવાર અશ્વિન રાઠોડ દ્વારા કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ શાર્વિલ પી. મજમુદારે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે,

           ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો ધોળકા બેઠક પરથી ૩૨૭ મતે વિજય થયો હતો. આ ચૂંટણી દરમ્યાન ઘણી બાબતોમાં ગેરરીતિ સામે આવી હતી. જેમાં ખુદ ચૂંટણી રિટર્નીંગ ઓફિસર અને ચૂંટણી નીરીક્ષક(ઓર્બ્ઝર્વર) ભૂમિકા શંકાસ્પદ રહી હતી. રિટર્નીંગ ઓફિસરે ખોટી રીતે પોસ્ટલ બેલેટના ૪૨૭ મતો રદબાતલ ઠરાવ્યા હતા. એટલું જ નહી, ચૂંટણી દરમ્યાન મોબાઇલ પ્રતિબંધિત હોવાછતાં ખુદ ચૂંટણી અધિકારી મોબાઇલ પર વાત કરતાં નજરે પડતા હતા. કેટલાક પોલીંગ બુથમાં મતો હોવાછતાં તેને ધ્યાનમાં લેવાયા ન હતા. સમગ્ર ચૂંટણી દરમ્યાન કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાઓનું સરેઆમ ઉલ્લંઘન કરાયું હતું. જેને પગલે ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખોટી રીતે વિજયી જાહેર થયા હતા. વાસ્તવમાં, ધોળકા બેઠક પર ૧,૫૯,૯૪૬ મત પડ્યા હતા જ્યારે, મત ગણતરીમાં ૧,૫૯,૯૧૭ મત જ ગણતરીમાં લેવામાં આવ્યા હતા. આમ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખોટી રીતે ચૂંટાયેલા જાહેર થયા હતા.

        જો પોસ્ટલ બેલેટ અને ઇવીએમમાં પડેલા અને ગણતરીમાં નહીલીધેલા મતો ગણતરીમાં લેવામાં આવે તો અરજદાર જીતી શકે તેમ છે. તેથી હાઇકોર્ટે આ ચૂંટણીમાં રિકાઉન્ટીંગનો હુકમ કરી જો અરજદાર જીતે તેમ હોય તો તેમને વિજેતા જાહેર કરવા જોઇએ. દરમ્યાન આજે કેસની સુનાવણી દરમ્યાન જસ્ટિસ પરેશઉપાધ્યાયે આ કેસમાં કોર્ટનારેકર્ડ પર લેવાયેલી જુબાની પરથી ચૂંટણી દરમ્યાન કેટલીક બાબતોમાં ગેરરીતિ થઇ હોવાનું તારણ આપ્યું હતું અને આ મુદ્દે કેટલાક મહત્વના અવલોકન કર્યા હતા.

(9:10 pm IST)