Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

દિલ્હીમાં સંત શિરોમણી રૈદાસજીનું મંદિર તોડવા સામે ભરૂચમાં બહુજન સમાજે નોંધાવ્યો વિરોધ

૬૦૦ વર્ષ પુરાણા મંદિરને તોડી પડાતા બહુજન સમાજમાં રોષ : ઐતિહાસિક વિરાસતને ખતમ કરી નાખવાના ષડયંત્ર ગણાવ્યું

ભરૂચ : દિલ્હી માં આવેલ ૬૦૦ વર્ષ પુરાણા સંત શિરોમણી શ્રી રૈદાસજીના મંદિરને તોડી પાડવામાં આવતા બહુજન સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. મંદિરને તોડી નાંખી તેમની ઐતિહાસિક વિરાસતને ખતમ કરી નાખવાના ષડયંત્ર સામે બહુજન સમાજ રસ્તા પર આવી જલદ આદોલન ચલાવી રહયો છે. જેને પગલે ભરૂચ બહુજન હિતરક્ષક સમિતિ તથા સંત શ્રી રૈદાસ સંસ્થા દ્વારા વિરોધ પ્રદર્શિત કરવા સાથે મંદિર તોડી પાડનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

(7:47 pm IST)