Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

મહીસાગર જિલ્લાના બાલાસિનોરના ગોલવાડ વિસ્‍તારમાં દુષ્‍કર્મ આચરીને ૬૭ વર્ષના વૃદ્ધાની હત્યા કરનાર ૨૨ વર્ષનો યુવક ઝડપાયો

મહીસાગર :મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરના ગોલવાડ વિસ્તારમાં 67 વર્ષની નિરાધાર વૃદ્ધાની હત્યા કરી, વૃદ્ધા પર બળાત્કાર ગુજારી તથા લૂંટ ચલાવવાના સમગ્ર પંથકમાં ચર્ચા ચકચારી ધૃણાસ્પદ ગુનાના આરોપી ૨૨ વર્ષીય નરાધમ યુવકને ગણતરીના કલાકોમા મહીસાગર એલસીબી, એસ..જી તેમજ બાલાસિનોર પોલીસે ઝડપી પાડ્યો છે.

બે દિવસ અગાઉ બનેલા અતિ ગંભીર અને ચર્ચાસ્પદ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પંચમહાલ-ગોધરા રેન્જ વડા મનોજ શશીધરન તથા પોલીસ અધિક્ષક ઉષા રાડાએ આરોપીને તાત્કાલિક શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. મહીસાગર જિલ્લા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ દિશામાં જૂદા-જૂદા મુદ્દા ઉપર ચોક્કસ દિશામાં તપાસ કરવા કામગીરી હાથ ધરાઈ હતી. વૃદ્ધા નિયમિત મંદિરમાં જઇ ભગવાનની પૂજાપાઠ કરી પોતાનું જીવન આધ્યાત્મિક રીતે પસાર કરી રહેલા અને એકલવાયુ જીવન જીવતા હતા. તેઓ મહોલ્લામાં ટિફીન બનાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેઓ એકલા રહેતા હોઇ વાતનો ફાયદો ઉઠાવી રાત્રિના સમયે નરાધમ આરોપી તેમના ઘરમાં

ઘૂસ્યો હતો. તેણે પહેલા તો વૃદ્ધાનું ગળુ દબાવી તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં તેણે ઘરમાંથી દાગીના તથા મોબાઇલની લૂંટ ચલાવી હતી. અંતે તેણે વૃદ્ધાને મોતને ઘાટ ઉતાર્યા હતા. અંગે બાલાસિનોર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. સ્થાનિક રહીશોની પૂછપરછમાં મૃતક વૃદ્ધા તેમના પડોશીના ઘરે તેમના રોજના કામ મુજબ રસોઇ કામ માટે ગયા ના હતા. તેઓએ તેમને મોબાઇલ ઉપર સંપર્ક કરતા તેઓનો ફોન બંધ આવતો હતો. તેથી તેઓએ ઘરમાં આવીને તપાસ કરી હતી, તો વૃદ્ધા નિર્વસ્ત્ર હાલતમાં જમીન પર મૃત પડ્યા હતા.

(5:33 pm IST)