Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

બોર્ડની પરીક્ષામાં ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ કરનાર શિક્ષકોને દંડ થશે

અમદાવાદ, તા. ૨૨ :. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ઉત્તરવહી ચકાસવામાં બેદરકારી રાખનારા શિક્ષકો સામે દંડનાત્મક પગલા ભરવામાં આવશે. ગાંધીનગર ખાતે જીસીઈઆરટીના એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં નાયબ પરીક્ષા સચિવે જણાવ્યુ હતુ કે જે શિક્ષકોએ ૧૦ ગુણ સુધીની ભૂલ કરી છે તેવા શિક્ષકોને બોલાવવામાં આવ્યા હતા. શિક્ષકો ઉત્તરવહી ચકાસણીમાં બેદરકારી માલૂમ પડશે તો તેની સામે દંડનાત્મક પગલા લેવાશે.

ઉત્તરવહી ચકાસવામાં ભૂલ કરનાર શિક્ષકોનો શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉધડો લીધો હતો.

(3:31 pm IST)