Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

શહીદ આરીફ પઠાણનો પાર્થીવ દેહ સાંજે વડોદરા પહોંચશેઃ કાલે દફનવિધી

જમ્મુ- કાશ્મીર રાજૌરી ખાતે શહીદ થયેલ વડોદરાના ૨૪ વર્ષીય જવાન આરીફ પઠાણનો પાર્થીવ દેહ વિશેષ વિમાન દ્વારા સાંજે ૮:૩૦ વાગ્યે હરણી એરપોર્ટ લવાશે. જયાં શહીદને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. રાજય સરકારના મંત્રી યોગેશભાઈ પટેલ, કલેકટર, ધારાસભ્યો અને પદાધીકારીઓ હાજર રહેશે. શહીદ આરીફ પઠાણની કાલે દફનવિધી કરવામાં આવશે.

(5:02 pm IST)