Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

વિજયભાઇ રૂપાણીની સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાની નીતિ રંગ લાવી રહી છે, સૂર્ય ઊર્જા ક્ષેત્રે ગુજરાત બન્યું માર્ગદર્શક

મધ્ય ગુજરાતના નાનકડા ગામડાં ટુંડીમાં વિશ્વની સૌપ્રથમ સૌર ઉર્જા સહકારી મંડળી સક્રિય, વિક્રમજનક ઉત્પાદન રાજયમાં રૂફટોપ સોલારની યોજનાને પણ જોરદાર પ્રતિસાદ

ગાંધીનગર, તા. ર૩ : સૌર ઊર્જાને વધુ ને વધુ પ્રોત્સાહન આપવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિષ્ઠાસભર પ્રયાસોના હકારાત્મક પરિણામો આવી રહ્યા છે. રૂફટોપ સોલારની યોજનાને તો ગુજરાતમાં જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. બીજી તરફ મધ્ય ગુજરાતના એક ટચૂકડા ગામડાંએ આ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. ખેડા જિલ્લાના ઠાસરાથી માત્ર બે કિલો મીટરના અંતરે આવેલા ઢુંડી ગામે માત્ર ગુજરાત કે સમગ્ર રાષ્ટ્રમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમવાર સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળી કાર્યરત કરી ચરોતરમાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વ પ્રસિધ્ધ અમૂલ મોડલ બાદ સોલાર એનર્જી ઉત્પાદનમાં માત્ર ૧૫૦૦ની વસ્તી ધરાવતા ઢુંડી ગામે સમગ્ર રાષ્ટ્રને નવી દિશા ચીધી છે.

ઢુંડી ગામના ૯ ખેડૂતોએ ટેકનોલોજીનો વિનિયોગ કરી સૂર્ય શકિતને ધરતી પર ઉતારી પોતાની ખેતી ઉપરાંત વધારાની વિજળી એમજીવીસી એલને વેચીને દરેક ખેડૂતે ૧.૫૦ લાખની વધારાની આવક મેળવી છે. અત્યાર સુધીમાં ૯ ખેડૂતો દ્વારા ૨,૦૮,૯૧૩ યુનિટ વીજળી મધ્યી ગુજરાત વીજ કંપનીને ગ્રીડ મારફત વેચાણ કરવામાં આવી છે. જેની મંડળીને કુલ ૧૨ લાખની વધારાની આવક મળી છે. સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળીનાઙ્ગ સમગ્ર વિશ્વમાં સોલાર ઊર્જા પેદા કરતી ખેડૂતોની સહકારી મંડળી સ્થાપિવાની નવતર પહેલ ઢુંડી ગામે ફેબ્રુઆરી – ૨૦૧૬માં કરી હતી. સૌર ઊર્જા ઉત્પાદક સહકારી મંડળીમાં ૧૬ જેટલા ખેડૂત સભાસદ છે જે પૈકી ૯ ખેડૂતોને કોલંબો બેઝ ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ - ટાટા વોટર પોલીસી પોગ્રામ(આણંદ) દ્વારા નેશનલ સોલાર પાવર મિશન હેઠળ ૯૫્રુ સહાયથી સોલાર સિસ્ટમ પૂરી પાડવામાં આવી છે.મંડળીમાં ત્રણ ખેડૂતો એક વર્ષ બાદ જોડાયા હતા. ઢુંડી ગામમાં ૧૦.૮ કિલોવોટના ૩ અને ૮ કિલોવોટના ૩, પાંચ કિલોવેાટના ૩ સહિત કુલ ૭૧.૪ કિલોવોટના ૯ પ્લાન્ટ કાર્યરત છે.ઙ્ગ જેમાં રોજના ૩૫૦ યુનિટ સોર ઉર્જાનું ઉત્પાદન થાય છે. ખેડૂતો આ સૌર ઉર્જાનો સિંચાઇ માટે જરૂરિયાત મુજબઙ્ગ ઉપયોગ કરે છે. ત્યારબાદ જે વિજળી સરપ્લસ રહે છે. તેને ગ્રીડ મારફત મધ્ય ગુજરાત વીજ કંપની લિ.ને ૪.૬૩ ના દરે વેચાણ કરવામાં આવે છે. આ માટે મંડળીએ એમજીવીસીએલ સાથે ૨૫ વર્ષનો પરચેઝ પાવર એગ્રીમેન્ટ(પીપીએ) કર્યો છે.

અગાઉ ખેડૂતો સિંચાઇ માટે ડીઝલ પંપ સેટનો ઉપયોગ કરતા હતાં અને રોજના ૫૦૦ થી ૭૦૦ લેખે એક ખેડૂતને મહિને અંદાજે ૨૦ હજારનો ખર્ચ થતો હતો એટલુ જ નહિ ડીઝલ લેવા જવા માટે સમય અને નાણાનો વ્યય થતો હતો જેની બચત થઇ છે. વધુમાં ડીઝલ એન્જિનથી પર્યાવરણને પણ નુકશાન થતું હતું જેથી વાતાવરણમાં પ્રદુષણની માત્રા વધતી હતી પરંતું સોલાર પંપથી સિંચાઇ થતાં ગ્રીન અને કલીન એનર્જી મળવાની સાથે પ્રદૂષણ થતું અટકયું છે. ખેડૂતોને શરૂઆતના બે વર્ષમાં યુનિટ દીઠ ૧.૨૫ ગ્રીન એનર્જી બોનસ તથા ૧.૨૫ વોટર કન્ઝતરવેશન બોનસ પણ ચુકવવામાં આવ્યું છે.

(5:00 pm IST)