Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અંકલેશ્વરના મહાવીર શોપિંગ સેન્ટરની ફરીવાર છત ધરાસાયી

પાલિકા તંત્રની બેદરકારી સામે ઉઠતા સવાલ : કોઈ દુકાન ખુલી નહીં હોવાથી દુર્ઘટના ટળી

અંકલેશ્વર : શહેરના મહાવીર  શોપિંગ સેન્ટરની ફરીવાર છત ધરાશાયી થઇ છે આ શોપિંગ સેન્ટર 40 વર્ષ જૂની બિલ્ડીંગ હોવાથી આવી ઘટના વારંવાર બને છે ત્યારે આજે ફરીવાર આ શોપિંગ સેન્ટરની છત ફરી પડી હતી.મહાવીર શોપીંગ સેન્ટરમાં છત પડવાની ઘટના બીજીવાર બની છે.આ ઘટનાને લઈને અંકલેશ્વર નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે એવી લોકચર્ચાઓ ચાલી રહી છે.શુ તંત્ર સુરતમાં બનેલ તક્ષશિલા જેવી ઘટનાની રાહ જુએ છે એવી એવી લોકચર્ચાઓ શરૂ થઈ છે.સદનસીબે આ બનાવ વહેલી સવારે બનતા કોઈ દુકાન ખુલ્લી ના હોવાથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી

(2:22 pm IST)