Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

મહંત ભીમસિંહ ચૌહાણનું કાર અકસ્માતમાં મૃત્યુ

શામળાજી પાસે કાનજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વરદા ગાદિપતિ

મોડાસાઃ અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર સુપ્રસિદ્ઘ યાત્રાધામ શામળાજીથી હિંમતનગર સુધીનો હાઈવે અકસ્માત ઝોન તરીકે ઉભરી રહ્યો હોય તેવો વાહન ચાલકો અહેસાસ અનુભવી રહ્યા છે. શામળાજી નજીક સુનોખ પાટિયા નજીક મહિન્દ્રા મરાઝોના ચાલકે સામેથી હોન્ડા અમેઝ કાર ને ધડાકાભેર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

હોન્ડા સીટી કારમાં સવાર અખિલ ભારતીય કાનજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વરદા (રાજસ્થાન) ગાદીપતિ મહંત ભીમ સિંહ ચૌહાણના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાબડતોડ સારવાર અર્થે શામળાજી રેફરલ હોસ્પિટલમાં ખસેડાતા સારવાર કારાગત નીવડે તે પહેલા પ્રાણ ત્યજી દેતા ભારે ચકચાર મચી હતી. હોન્ડા અમેઝના કાર ચાલક અને તેમના અનુયાયી અમદાવાદ ઘાટલોડિયા સતાધાર કોમ્પ્લેક્ષમાં રહેતા અક્ષય રાજેશ ભાઈ શાહના માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. મોટી સંખ્યામાં સંપ્રદાયના અગ્રણીઓ અને તેમના અનુયાયીઓ શામળાજી ખાતે દોડી આવ્યા હતા અને અચાનક મહંતની વિદાયથી આઘાતમાં સારી પડ્યા હતા.

રાજસ્થાનના ડુંગરપુરનાવરદાના ગાદીપતિ અને અખિલ ભારતીય કાનજી સંપ્રદાયના રાષ્ટ્રીય અધ્યક્ષ મહંત ભીમસિંહ ચૌહાણ તેમના અમદાવાદ ખાતે રહેતા અનુયાયી અક્ષય રાજેશભાઈ શાહની હોન્ડા અમેઝ કારમાં ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા અમદાવાદ આવી રહ્યા હતા.

(1:15 pm IST)