Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

બાલાસિનોરના જેઠોલીમાં પરોઢે મકાન ધરાશાયી થતા મામા-ભાણેજના કરુણ મોત

બાલાસિનોર:તાલુકાના જેઠોલી ગામમાં વહેલી પરોઢે મકાન એકાએક ધરાશયી થતાં દિવાલ પાસે સૂઈ રહેલ મામા-ભાણેજના કરુણ મૃત્ય થયા હતાં.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામના ખાંટવાળા વિસ્તારમાં આજરોજ વહેલી સવારના ચાર વાગ્યાના અરસામાં મકાન પાછળ પ્લાસ્ટીકની તાડપડી ઢાંકેલ-છાપરુ અને તેને અડીને આવેલ દિવાલ એકાએક ધરાશયી થતાં દિવાલની પડખે નીચે સૂઈ રહેલા પરમાર ભેમાભાઈ શીવાભાઈ ઉ.વ. ૩૨ અને તેમના ભાણા વનરાજ રાધસિંહ ચૌહાણ ઉ.વ. ૨૦નું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું.
તાલુકામાં છેલ્લા બે દિવસના વરસાદના કારણે દિવાલ નબળી પડી હોઈ પડી હોવાનું લોકો જણાવતા હતા. બનાવની જાણ થતાં સ્થળ ઉપર આસી.કલેક્ટર અનન્યાદાસ, મામલતદાર વી.વી. વાળા, તાલુકા વિકાસ અધિકારી આર.કે. મકવાણા અને સ્થાનિક ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.

(4:45 pm IST)