Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

૧૫ ઓગષ્ટના ધ્વજવંદન માટે મંત્રીઓને જિલ્લા ફાળવણી

રાજય કક્ષાનો કાર્યક્રમ સુરેન્દ્રનગરમાં: રાજકોટમાં ભૂપેન્દ્રસિંહ તિરંગો લહેરાવશે

ગાંધીનગર તા.૨૩: રાજય સરકારે ૧૫ ઓગષ્ટે ધ્વજવંદન માટે મંત્રીઓને જિલ્લા ફાળવ્યાં છે. રાજય કક્ષાનો કાર્યક્રમ સુરેન્દ્રનગરમાં છે. ત્યાં મુખ્યમંત્રી ધ્વજવંદન કરાવશે. સોૈરાષ્ટ્ર-કચ્છની જિલ્લા ફાળવણી નીચે મુજબ છે.

મંત્રી               જિલ્લો

ભુપેન્દ્રસિંહ ચૂડાસમા     રાજકોટ

જયેશ રાદડિયા    જામનગર

દિલીપ ઠાકોર      કચ્છ

કુંવરજીભાઇ બાવળિયા  અમરેલી

પ્રદીપસિંહ જાડેજા  જૂનાગઢ

* જયાં મંત્રીઓને જિલ્લા ફાળવાયેલ નહિ હોય ત્યાં જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન થશે.

(3:35 pm IST)