Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સુરતમાં નવી કોર્ટ બિલ્ડિંગના નવમા માળેથી મહિલાના આપઘાત મામલે સાસરિયા સામે આરોપ : આરોપીની ધરપકડની ખાતરી બાદ લાશનો કર્યો સ્વીકાર

સુરતમાં નવી કોર્ટ બિલ્ડિંગના નવમા માળેથી શિમ્પીસિંહ નામની મહિલાના આપઘાત મામલે પરિવારજનોએ મહિલાના સાસરિયા સામે માનસિક ત્રાસના કારણે પગલું ભર્યાનો આરોપ મૂકીને લાશ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો

  હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રમ બહાર પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું કે સાસરિયા પક્ષના માનસિક ત્રાસના કારણે ઘરની મહિલાએ આ પ્રકારનું પગલું ભર્યું છે. પોલીસ દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી હતી. જેથી તેણીએ આ પગલું ભરવા મજબૂર બનવું પડ્યું હોવાના આક્ષેપ થયા છે.જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ નહીં સ્વીકારવામાં આવે તેવી વાત પરિવારજનોએ કરી હતી. જો કે પોલીસના ભારે સમજાવટ બાદ આખરે પરિવારજનોએ લાશનો કબ્જો લેતા પોલીસે પણ રાહતનો સ્વાસ લીધો હતો.

(8:30 pm IST)