Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

વિરમગામ શહેર ભાજપ દ્વારા ભારતીય જનસંઘના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે પુષ્પાંજલિ સહિતના કાર્યક્રમો યોજાયા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ શહેરના નગરપાલિકામાં ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઇ રાઠોડ, વિરમગામ શહેર સંગઠનના પ્રમુખ નરેશભાઇ શાહ,  મંત્રી દેવાભાઈ ઠાકોર, મિતેશભાઈ આચાર્ય સહિતના કાર્યકર્તાઓ અને નગરપાલિકાના કાઉન્સિલર નારણભાઈ અજાણા ઉપસ્થિત રહ્યા અને હાજરી આપી હતી.

 આ ઉપરાંત વિરમગામના વોર્ડ નં -6  બુથ નં  219માં  ડૉ. શ્યામાંપ્રસાદ મુખરજીના બલિદાન દિવસે પુષ્પાંજલિનો કાર્યક્રમ તથા નિરાધાર વૃદ્ધ સહાય લાભાર્થીઓને હુકમ  આપવામાં આવ્યા હતિ. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના મહામંત્રી ડૉ. નવદીપસિંહ ડોડીયા, વોર્ડ નં 6 ના કાઉન્સિલર વિભાબેન ધર્મેન્દ્રભાઈ સોની, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ ધર્મેન્દ્રભાઈ સોની, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ રાહુલ નંદપાલ અને યુવા મોરચાના કારોબારી સદસ્ય નૂતન ઠક્કર હાજર રહ્યા હતાં.

(6:56 pm IST)