Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

જનસંઘના સંસ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીને પુણ્યતિથી પર શ્રધાંજલિ આપવામાં આવી

વિરમગામ ખાતે ભાજપના હોદ્દેદારો, પદાધીકારીઓ સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રવિવારે ભારતીય જનસંઘ ના સ્થાપક અધ્યક્ષ અને કાશ્મીર ની લડત માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા પ્રખર રાષ્ટ્રભક્ત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને પુણ્યતિથી પર શ્રધાંજલિ આપવામાં આવી હતી. વિરમગામ શહેર તથા તાલુકા ભાજપના હોદ્દેદારો પદાધીકારીઓ  કાર્યકર્તાઓ દ્વારા ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

  અત્રે ઉલ્લેખનીય છે કે  ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનો નારો હતો કે, એક દેશ માં બે વડાપ્રધાન, બે વિધાન અને બે નિશાન નહિ ચાલે અને ગગન ભેદી નારા સાથે ભારતની એકતા અખંડતા અને સ્વતંત્રતા માટે તેઓ એ પહેલું રાષ્ટ્રવાદી આદોલન શરુ કર્યું હતું. તેમના બલીદાન ને કારણે જ આજે જમ્મુ કાશ્મીરમાં પરમીટ સીસ્ટમ પૂરી થઇ છે.

(12:34 pm IST)