Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નયાબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વની રાજય સરકારે ખેડૂતોને સૌર ઊર્જાથી સિંચાઈ અને ખેતીવાડી તેમજ આર્થિક સમૃદ્વિના નવા દ્વારા ખોલી આપતી મહત્વપૂર્ણ કિસાન હિતકારી યોજના સૂર્યશકિત કિસાન યોજના એસકેવાયની જાહેરાત કરી : ખેડૂતોની આવકને વધારાશે

ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય : સ્કાય કિસાન સમૃદ્ધિના દ્વાર ખોલશે : સમગ્ર દેશમાં સૌપ્રથમ અમલ કરવાનું ગૌરવ ગુજરાતને : હવે સૌરઉર્જા ઉત્પાદન સોલાર પેનલથી ખેડૂત કરી શકશે

ગાંધીનગર,તા.૨૩ : મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નયાબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વની રાજય સરકારે ખેડૂતોને સૌર ઊર્જાથી સિંચાઈ અને ખેતીવાડી તેમજ આર્થિક સમૃદ્વિના નવા દ્વારા ખોલી આપતી મહત્વપૂર્ણ કિસાન હિતકારી યોજના સૂર્યશકિત કિસાન યોજના એસકેવાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ યોજના ની જાહેરાત કરતા કહ્યું છે કે, ગુજરાતના ખેડૂતો બાવડાના બળે અને પરિશ્રમની પરાકષ્ટા સર્જનિ ધરતીમાંથી સોનુ ઉગાડવાની ક્ષમતા ધરાવે છે. રાજય સરકારે ખેડૂતોને પુરતી વીજળી, પાણી, ખાતર અને આધુનિક કૃષિ જ્ઞાન આપીને કૃષિ વિકાસ દર ડબલ ડીઝીટે પહોંચાડયો છે. હવે, સૂર્ય શકિતનો ખેતી વપરાશ માટે ઊર્જા ઉત્પાદનમાં વિનિયોગ કરીને આ ધરતી પુત્રોને વધુ સિંચાઈ અને વધારાની વીજળીના વેચાણ દ્વારા  આર્થિક સમૃદ્વિ તરફ લઈ જવા આ નવતર યોજના શરૂ કરી છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ઊર્જા રાજયમંત્રીની સૌરભ પટેલ આજે પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી. ઊર્જા  મંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની કિસાન હિતલક્ષી સંવેદનાની પરિપાટીએ રાજય સરકારે જાહેર કરેલી એસકેવાય -સ્કાય યોજના વર્ષ ૨૦૨૨ સુધીમાં કિસાનોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પમાં આ યોજના પૂરક બનવાની છે. ઊર્જા મંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં સૌરશકિત-સૂર્યશકિતનું મહત્તમ ઉત્પાદન વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતના તેમના મુખ્યમંત્રી પદ દરમ્યાન થયું છે. આ સૌર ઊર્જાથી હવે રાજયના ધરતીપુત્ર ખેતી વિષયક વીજ ઉત્પાદન પોતાના જ ખેતરમાં જાતે જ કરીને તેનો ઉપયોગ સિંચાઈ માટે કરી શકે તેવો કિસાન હિતકારી આશય આ સ્કાય યોજનાનો છે તેમ ઊર્જા મંત્રીએ ઉમેર્યું હતું. સૌરભ પટેલ આ સ્કાય યોજનાની વિશદ ભૂમિકા આપતાં જણાવ્યું કે, સ્કાય સૂર્યશકિત કિસાન યોજનાનો એ રાજયના ધરતીપુત્રો માટે વિકાસની ઊંચી ઊડાન બની રહેશે. ખેડૂત અને રાજય સરકાર બેય માટે વિન-વિન  સિચ્યુએશન ઊભી કરનારી આ સ્કાય યોજનામાં ધરતીપુત્ર સોલાર પેનલ પોતના ખેતરમાં લગાવીને જે સૌરઊર્જા ઉત્પન્ના કરશે તેની પોતાની કૃષિ વિષયક વપરાશની વિજળી બાદ વધેલી વીજળી રાજયની વીજ કંપનીઓને વેચાણથી આપશે અને તે માટે તેને વધારાની આવક પણ મળતી થશે. સમગ્ર દેશમાં સૌપ્રથમ અમલ કરવાનું ગૌરવ ગુજરાતને મળશે. પોતાના જ ખેતરમાં સૌર ઉર્જા ઉત્પાદન સોલાર પેનલથી ખેડૂત કરી શકશે. ગુજરાતનો કિસાન ખેતી વિષયક વીજ વપરાશ બાદ વધતી શૌરઉર્જા અને વીજળી સરકારને વેચી આર્થિક સમદ્ધિ મેળવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ૬૦ ટકા સબસીડી રહેશે. સોલાર પેનલના કુલ ખર્ચના માત્ર પાંચ ટકા રકમ ખેડૂતરને ભરવાની રહેશે. રાજ્ય સરકાર ખેડૂત તરફથી ૩૫ ટકા રકમની સાત વર્ષ માટે સસ્તા વ્યાજની લોન લેશે. રાજ્યના તમામ ૩૩ જિલ્લાના ૧૩૭ ફિડર સ્કાય પાઈલોટ પ્રોજેકટમાં સામેલ કરાયા છે.

રૂપાણીએ શું કહ્યું.....

ગાંધીનગર,તા. ૨૩

   સમગ્ર દેશમાં સૌપ્રથમ અમલ કરવાનું ગૌરવ ગુજરાતને મળશે

   પોતાના જ ખેતરમાં સૌરઉર્જા ઉત્પાદન સોલાર પેનલથી ખેડૂત કરી શકશે

   ગુજરાતનો કિસાન ખેતી વિષયક વપરાશ બાદ વધતી સૌરઉર્જા વીજળી સરકારને વેચી આર્થિક સમૃદ્ધિ મેળવી શકશે

   સોલાર પેનલ માટેના કુલ ખર્ચના માત્ર પાંચ ટકા રકમ ખેડૂતને ભરવાની રહેશે

   કેન્દ્ર અને રાજ્ય સરકારની ૬૦ ટકા સબસીડી રહેશે

   રાજ્યના ખેડૂતોને ૧૨ કલાક વીજળી મળી શકશે

   સૌરઉર્જા થકી ખેતરમાં દિવસે વીજળી અને પાણી મળી શકશે

   સૌરઉર્જાથી સિંચાઈ અને ખેતીવાડી તેમજ આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે

   ખેડૂતો બાવડાને બળે અને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને સોનુ ઉગાડવાની ક્ષમતા ધરાવે છે

   કૃષિ વિકાસદર બે આંકડામાં પહોંચ્યો છે

ખેડૂતોને કયા લાભ.....

ગાંધીનગર,તા. ૨૩

આ મહત્વપૂર્ણ યોજનાથી ગુજરાતના ખેડૂતોને કયા કયા લાભ થશે તે નીચે મુજબ છે.

       વીજ બિલમાં રાહત મળશે

       ગ્રીડમાં વધારાની વીજળી વેચવાથી ખેડૂતને કાયમી આવક મળે તેવી સ્થિતિ સર્જાશે

       દિવસ દરમ્યાન ૧૨ કલાક વીજ પુરવઠો મળી રહેશે

       લોન ભરપાઈ થયા પછી સોલર સિસ્ટમની માલિકી ખેડૂતની પોતાની થઈ જશે

       સોલાર પેનલનો વીમો રાજય સરકાર લેશે

       સોલાર સિસ્ટમ માટે ૭ વર્ષ માટે ગેરંટી તથા મેઈન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવશે

       સોલાર પેનલની જગ્યા નીચેની જમીન પર પાક પણ લઈ શકાશે પેનલની ઊંચાઈ વધારવી હોય તો પણ વધારી શકાશે

 

સૂર્યશકિત કિસાન યોજના...

દિવસ દરમિયાન ૧૨ કલાક વીજપુરવઠો મળશે

         ગાંધીનગર,તા. ૨૩

   મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નયાબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વની રાજય સરકારે ખેડૂતોને સૌર ઊર્જાથી સિંચાઈ અને ખેતીવાડી તેમજ આર્થિક સમૃદ્વિના નવા દ્વારા ખોલી આપતી મહત્વપૂર્ણ કિસાન હિતકારી યોજના સૂર્યશકિત કિસાન યોજના એસકેવાયની જાહેરાત કરી છે. સૂર્યશકિત કિસાન યોજનાની વિગત નીચે મુજબ છે.

    કૃષિ વીજ જોડાણ ધરાવતા ખેડૂતો માટેની આ કિસાન હિતકારી યોજના છે

    ખેડૂતોેને તેમના ખેતરમાં સૂર્યશકિતથી વીજ ઉત્પાદન  મેળવનાર સોલાર પેનલ આપવામાં આવશે

    સ્કાય ફીડર પર અગાઉ કોઈ પણ ખેડૂતે અરજી નોંધણી હોય અને આ યોજનામાં જોડાવા ઈચ્છે, તો તેને તત્કાળ ધોરણે વીજ જોડાણ આપવામાં આવશે

    ફ્રીડર પર આવતા બધા ખેડૂતો આ યોજનામાં જોડાય એ વધુ ફાયદાકારક રહેશે

    ખેડૂતોએ ઓછામાં ઓછી કુલ ખર્ચની પાંચ ટકા રકમ ભરપાઈ કરવાની રહેશે પરંતુ વધારે રકમ ભરવી હોય તો તે ભરી શકશે. જેટલી રકમ વધારે તેટલી લોન ઓછી લેવાની થશે અને તેને કારણે આવક વધુ થશે

    કેન્દ્ર અને રાજય સરકાર ૬૦ ટકા રકમ સબસીડી પેટે ચૂકવશે

    ખેડૂત વતી રાજય સરકાર બાકીની ૩૫ ટકા રકમ સસ્તા વ્યાજની લોન પેટે લેશે

    લોનનો સમયગાળો સાત વર્ષનો રહેશે

    એક ર્હોસ પાવર દીઠ સવા કિલોવોટની સોલાજર પેનલ આપવામાં આવશે

    પ્રતિ કિલોવોટ સોલાર ક્ષમતા મુજબ ૧૦-૧૦ ફૂટ જગ્યાની આવશ્યકતા રહેશે

    જો કોઈ ખેડૂત વધારે કિલોેવોટની પેનલ લગાવવા ઈચ્છતા હોય તો નિયમોને આધિન રહી મંજૂરી અપાશે

    વધારાની પેનલોથી ઉત્પન્ના થતી વિજળી રૂ ૩.૫૦ પ્રતિ યુનિટના દરથી ખરીદવામાં આવશે અને તેના પર રાજય સરકારની સબસીડી મળવાપાત્ર થશે નહીં. 

    સ્કાય ફીટર દીઠ યોજનામાં ખેડૂતોની સમિતિ બનાવવાની રહેશે

    સ્કાય ફીડર ઉપર દિવસે ૧૨ કલાક મળશે, પરંતુ જે ખેડૂત આ યોજનામાં નહી જોડાયા તેને ૮ કલાક વીજ પુરવઠો મળશે

    વીજળીનું જે ઉત્પાદન થાય અને વપરાશ કર્યા બાદ જે યુનિટ ગ્રીડમાં આવે તે યુનિટ દીઠ પહેલાં સાત વર્ષ માટે રૂ.૭ પ્રતિ યુનિટ ખેડૂતને ચુકવવામાં આવશે જે પૈકી રૂ. ૩.૫૦ પ્રતિ યુનિટ વીજ વિતરણ કંપની ચૂકવશે અને બાકીના રૂ. ૩.૫૦ પ્રતિ યુનિટ ખેડૂતને રાજય સરકાર સબસીડી રૂપે ચુકવાશે

    આવી કુલ રકમમાંથી ખેડૂતની લોનનો હપ્તો ભરપાઈ થયા બાદ જે બચત થશે તે ખૂડતના બેન્ક ખાતામાંથી સીધી જમા કરવવામાં આવશે

    ૭ વર્ષના લોનનો સમય પૂરોે થયા બાદ બાકીના ૧૮ વર્ષ સુધી ગ્રીડમાં આપતી વિજળીના પ્રતિ યુનિટ માટે ખેડૂતને વીજ વિતરણ કંપની દ્વારા રૂ. ૩.૫૦ પ્રતિ યુનિટ ચૂકવવામાં આવશે

 

(9:21 pm IST)