Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

કલોલમાં અગમ્ય કારણોસર યુવકે ઘરમાં ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

કલોલ:ના ગાયોના ટેકરા વિસ્તારમાં રહેતા યુવકે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. શહેર પોલીસે આ ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ શરૃ કરી છે.

 


કલોલ શહેરમાં આવેલા ગાયોના ટેકરા વિસ્તારમાં વાઘેલાવાસમાં રહેતા ૩૫ વર્ષિય ભરત ચમનભાઇ વાઘેલાએ પોતાના ઘરમાં એકાંત મળતા પ્લાસ્ટિકની દોરી અને લાલ કપડા વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ આજે સવારે શહેર પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને આ ઘટના અંગે અકસ્માત મોતની નોધ કરી મૃતકની લાશનું કલોલના સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટ મોર્ટમ કરાવી લાશનો કબ્જો તેના વાલીવારસોને સોંપ્યો હતો.

જો કે યુવકે ક્યા કારણોસર આપઘાતનું અંતિમ પગલું ભરી લીધું તેનું રહસ્ય હજી સુધી બહાર આવ્યું નથી. જેથી યુવકના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૃ કરી છે. ત્યારે આપઘાતના વધતા જતા બનાવોએ ચિંતા પણ જગાવી છે.

(5:52 pm IST)