Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

વડોદરાના સાવલીના ગુતરડી ગામની નદીના પટમાં ભેખડ ધસી પડતા ૪ મજુરોના મોત

વડોદરાઃ સાવલીમાં આવેલા દીધાપુરામાં ગેરકાયદે રેતી કાઢી રહેલા ચાર મૂજરો દટાતા તેમના મોત થયા છે. ગુતરડી ગામે નદીના પટમાંથી  રેતી કાઢી રહેલા શ્રમજીવીઓ પર ભેખડ ધસી પડતાં 4 મજુરના મોત થયા છે.  ગુતરડી ગામે ગોમા નદી કિનારે આવેલા ખેતરમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદે રેતી કાઢવામાં આવી રહી હતી. આ બાબતે સ્થાનીક ગ્રામજનો અને ગામના સરપંચે તંત્રને લેખિત ફરિયાદ પણ કરી હતી. છતાં ત્યાથી ગેરકાયદે રેતી કાઢવામાં આવી રહી હતી અને આ કામગીરીમાં દટાયેલા 4 મજૂરોના સારવાર દરમિયાન મોત થયા છે. ત્યારે પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:27 pm IST)