Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

મોડીસાંજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ :સુરતમાં પવન ફુંકાયો : વડોદરામાં ચોમાસા જેવો માહોલ : નવસારીમાં કેરીના પાકને નુકશાન

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે.વરસાદી માહોલ રહેશે.જ્યારે 4 દિવસ 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

અમદાવાદ :  રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે.અને વરસાદી માહોલ રહેશે.જ્યારે 4 દિવસ 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.ત્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જયારે  સુરતમાં વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાયો હતો.સુરત બાદ વડોદરાના વાતાવરણાં પણ પલટો જોવા મળ્યો છે. સવારથી વડોદરા શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને કારણે શહેરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વાદળો છવાતાં શહેરીજનોને કાળઝાળ ગરમીથી થોડી રાહત મળી છે.જ્યારે નવસારીમાં વાતાવરણ બદલાતા કેરીના પાકને નુકસાન થયું છે.

(11:55 pm IST)