Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

નાવરા ગામમાં માતાજીના પાટોત્સવ નિમિત્તે યોજાયેલા નવચંડી યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાવરા ગામમાં નવચંડી યજ્ઞ યોજાયો જેમાં ગામના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
નાવરા ગામના મંદિર ફડીયામાં અંબે માતાજીના પાટોત્સવના પ્રસંગ નિમિત્તે સમસ્ત ગ્રામજનો દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસ અગ્રણી હરેશભાઈ વસાવા, ગામના અગ્રણી પ્રફુલભાઈ પારેખ સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.ગ્રામજનો દ્વારા આયોજિત આ નવ ચંડી યજ્ઞમાં ગ્રામજનોએ રસ પૂર્વક ભાગ લઈ માતાજી ની પ્રાર્થના કરી હતી

(10:36 pm IST)